Job 34

1અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે:

2“હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો;
અને હે જ્ઞાનીઓ, તમે મારી વાતો પર ધ્યાન આપો.
3જેમ જીભ અન્નના સ્વાદને પારખી શકે છે
તેમ કાન પણ શબ્દોને પારખી શકે છે.

4આપણે પોતાને માટે શું સારું છે તે પસંદ કરીએ

આપણે પોતાનામાં સારું શું છે તેની શોધ કરીએ.
5કારણ કે અયૂબે કહ્યું છે કે, ‘હું ન્યાયી છું,
અને ઈશ્વરે મારો હક લઈ લીધો છે.
6હું ન્યાયી છું છતાં હું જૂઠાબોલા તરીકે ગણાઉં છું.
મારા જખમ જીવલેણ છે; છતાં પણ હું પાપ વિનાનો છું.’

7અયૂબના જેવો માણસ કોણ છે,

કે જે ધિક્કારને પાણીની જેમ સરળતાથી પીએ છે,
8તે દુષ્ટતા કરનારા લોકોની સંગતમાં રહે છે,
અને તે દુષ્ટ લોકોની સાથે ફરે છે.
9તેણે કહ્યું છે કે, ‘ઈશ્વર જે ઇચ્છે છે તે કરવામાં
માણસને કોઈ ફાયદો નથી.’


10તેથી હે શાણા માણસો, મારું સાંભળો:

ઈશ્વર કદાપિ કંઈ ખોટું કરે જ નહિ;
અને સર્વશક્તિમાન કદાપિ કંઈ અનિષ્ટ કરે જ નહિ.
11કારણ કે તે વ્યક્તિને તેના કામ પ્રમાણે બદલો આપે છે;
તેઓ દરેક માણસને તેનો બદલો આપશે.
12ખરેખર, ઈશ્વર દુષ્ટતા કરશે જ નહિ,
અથવા સર્વશક્તિમાન કદાપિ અન્યાય કરે નહિ.

13કોણે તેમને પૃથ્વીની જવાબદારી આપી છે?

કોણે તેમને દરેક વસ્તુઓ પર સત્તા આપી છે?
14જો તે માત્ર પોતાના જ ઇરાદા પાર પાડે
જો ઈશ્વર પોતાનો આત્મા અને શ્વાસ પૃથ્વી પરથી લઈ લે,
15તો સર્વ માણસો નાશ પામે;
અને માણસ જાત ફરી પાછી ધૂળ ભેગી થઈ જાય.


16જો તમારામાં સમજશક્તિ હોય તો, મને સાંભળો;

મારા શબ્દો ધ્યાનમાં રાખો.
17જે ન્યાયને ધિક્કારે, તે શું કદી રાજ કરી શકે?
ઈશ્વર જે ન્યાયી અને પરાક્રમી છે, તેમને શું તું દોષિત ઠરાવીશ?

18ઈશ્વર કદી રાજાને કહે છે કે, ‘તું નકામો છે,’

અથવા રાજકુમારોને કહે છે કે, ‘તમે દુષ્ટ છો?’
19ઈશ્વર અધિકારીઓ પર પક્ષપાત કરતા નથી
અને ધનવાનોને ગરીબ લોકો કરતાં વધારે ગણતા નથી,
કારણ કે તેઓ સર્વ તેમના હાથે સર્જાયેલા છે.
20એક ક્ષણમાં તેઓ મૃત્યુ પામશે;
મધરાતે લોકો ધ્રૂજશે અને નાશ પામશે;
મહાન લોકો અદ્રશ્ય થઈ જાય છે, પણ માણસોના હાથથી નહિ.


21કારણ કે, ઈશ્વરની નજર માણસની ચાલચલગત પર હોય છે;

તે તેની સઘળી વર્તણૂક જુએ છે.
22દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઈ
પડદો કે અંધકાર નથી.
23કેમ કે ઈશ્વરને લોકોની પરીક્ષા કરવાની જરૂર નથી;
કોઈ માણસને તેમના ન્યાયાસન સમક્ષ જવાની જરૂર નથી.

24ઈશ્વર શક્તિશાળી લોકોને પણ ભાંગે છે કેમ કે તેઓના માર્ગો એવા છે કે તેને માટે વધારાની તપાસ કરવાની જરૂર નથી;

તેઓ તેમને સ્થાને અન્યને નિયુકત કરે છે.
25આ પ્રમાણે તેઓનાં કામોને પારખે છે;
તેઓ રાતોરાત એવા પાયમાલ થાય છે કે તેઓ નાશ પામે છે.

26દુષ્ટ લોકો તરીકે તેઓને તેઓનાં દુષ્ટકૃત્યોને લીધે ખુલ્લી રીતે સજા કરે છે

27કેમ કે તેઓ તેમને અનુસરવાને બદલે પાછા હઠી ગયા છે
અને તેમના માર્ગને અનુસરવાનો ઇનકાર કરે છે.
28આ પ્રમાણે તેઓએ ગરીબોનો પોકાર ઈશ્વર સુધી પહોંચાડ્યો છે;
તેમણે દુ:ખીઓનું રુદન સાંભળ્યું છે.

29જયારે તે શાંત રહે છે ત્યારે કોણ તેમને દોષિત ઠરાવી શકે છે?

પણ જો તે પોતાનું મુખ સંતાડે તો કોણ તેમને જોઈ શકે?
તે પ્રજા અને રાષ્ટ્ર પર સમાન રીતે રાજ કરે છે,
30કે જેથી અધર્મી માણસ સત્તા ચલાવે નહિ,
એટલે લોકોને જાળમાં ફસાવનાર કોઈ હોય નહિ.

31શું કોઈએ ઇશ્વરને એમ કહ્યું છે કે,

‘હું નિશ્ચે ગુનેગાર છું, પણ હવેથી હું પાપ કરીશ નહિ;
32હું જે સમજતો નથી તેનું મને શિક્ષણ આપ;
મેં પાપ કર્યું છે પણ હવેથી હું પાપ કરીશ નહિ.’
33તું ઈશ્વરનો ઇનકાર કરે છે એટલે શું તને લાગે છે કે ઈશ્વર તે માણસનાં પાપને બદલે તેને સજા કરશે?
એ નિર્ણય તારે લેવાનો છે, મારે નહિ.
માટે જે કંઈ તું જાણે છે તે કહે.

34ડાહ્યો માણસ મને કહેશે,

ખરેખર, દરેક જ્ઞાની માણસ મને સાંભળે છે તે કહેશે,
35‘અયૂબ જ્ઞાન વગર બોલે છે;
તેના શબ્દો ડહાપણ વિનાના છે.’

36દુષ્ટ માણસ જેવો જવાબ આપવાને લીધે અયૂબની

અંત સુધી કસોટી કરવામાં આવે તો કેવું સારું!
કેમ કે તે પોતાનાં પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે;
તે આપણી મધ્યે અપમાન કરીને તાળીઓ પાડે છે;
તે ઈશ્વરની વિરુદ્ધ લાંબી વાતો કરે છે.”
37

Copyright information for GujULB